Feeds:
Posts
Comments

Open Interview For HR / Asst HR Executive/Trainee -Admin Asst./Admin Officer/Admin Executive & IT JOB In Gujarat

JobWanted
મારા યુવા મિત્રો ખુબ જ સરસ તક છે, ઝડપી લો…તમારો હાલ નો પગાર, તમે જે પગાર મેળવવા માંગતાં હોય તે, કેટલાં દિવસ માં નૌકરી માં જોડાઈ શકશો તથા તમારો સંપર્ક કરવા માટે તમારો મો. અથવા ફોન નંબર, સરનામાં સાથે નીચે જણાવેલ ઈ-મેલ એડ્રેસ પર તમારો અપડેટ બાયોડેટા આજે જ ઈ- મેલ કરો અથવા કૉલ કરો.

SUBJECT: Interv iew Call: 2nd November to 12th November

Pel Softlabs Pvt Ltd.: The Company is providing IT Services to individuals & Corporate through Consulting & web applications & other allied IT services. Having served over 50,000 of the most eminent clients including the founder members of IIM Ahmedabad, Members of Parliament, Escorts Chairman and many more, in a short span of just 5 yrs, we are now broadening our horizon by introducing new products & services.
We are looking for people in various departments who have zeal to join in the early phases of product launch and development, willing to take over the responsibility of establishing a world class brand while growing their own capabilities. (www.pelsoftlabs.in)

We Have Following Openings in Different Departments of our company:

1) Business Development Executive(BDE)/Sales Executive
2) Tele Caller
3) Territory Sales Manager
4) Area Sales Manager
5) Executive HR / Asst HR Executive/Trainee HR
6) Admin Asst./Admin Officer/Admin Executive (Male)
7) Technical Support Executive (TSE-WEB)
8) Sales & Service Engineers (Tally)
9) Sales & Service Engineers (Basic)
10) Technical Support Executive (Hardware)

JOB DISCRIPTION FOR ABOVE MENTIONED POST:

1) Business Development Executive /Sales Executive

JOB PROFILE:

1. Complete responsibility of all pre-sales activities right from prospect stage to converting to customer.
2. Achieving the sales target for the allocated Area
3. Publish weekly/monthly reports on the pre-sales opportunities. Keep the eye on the opportunities for sales development.
4. Identify strategic technical relationships within the corporate account.

KNOWLEDGE AND SKILL REQUIRED:

1. Graduate with 1+ years experience in sales and marketing activities
2. Basic Knowledge of Computers.
3. Good communication & presentation skills in English & Hindi.
4. Should be confident in taking the challenges & aggressive in acquisition of new clients for the company.
5. Good decision maker & analytical beat of mind
6. Own conveyance is must as it is a field job.
7. MBA Fresher’s can also apply.

Remuneration: As per industry standard + Incentives. However it may vary depending upon the caliber and performance of the candidate.

2) Tele Caller

Desired Profile:

1. Minimum 6 months to 2 years Experience is product or service selling.
2. Good in local communication.
3. Must have good convenienceing power.
4. Should have sound knowledge of Computer.
5. Should be target driven with positive attitude.
6. Excellent communication and negotiation skills in Gujarati, Hindi and English.
7. Undergraduate with good experience in working and performer can also apply.

Job Description:

1. Making calls from given database.
2. Convenience customer to purchase product.
3. Provide total details of product to the customer.
4. Identify key customer and sell the product.
5. Making follow up calls and sending proposals to customer.
6. Resolutions of customer disputes and give perfect solution and satisfaction in terms of service.
7. Handle any walk-in customer.
8. Handle any new customer query on phone and provide necessary details.
9. Meet customers commitments.
10. Daily reporting to ASM.

Remuneration: As per industry standard + Incentives. However it may vary depending upon the caliber and performance of the candidate.

3) Territory Sales Manager

DESIRED PROFILE:

1. Total 5 to 7 years experience in the field of Market. Must be having Master’s Degree.
2. IT Sales Person Preferable who is having experience of selling Hardware and Software Services.
3. Must be having experience of handling team effectively at least for minimum 1.5 to 2 years.
4. Excellent communication skills and great convenienceing power to handle team and client.
5. Must be able to do sale product INDIVIDUALY also as he is also having own individual target.
6. Great TEAM LEADER as well TEAM PLAYER ALSO.
7. Able to handle every issue of team as well client also.
8. Ready to serve his service at any time whenever it needed.
9. Individual supporter of each and every team member.
10. Highly DISCIPLINED PERSONALITY to put great impact on CUSTOMER AND even on Team also.

JOB DESCREPTION:

1. To handle a team of 5 to 10 Sales Executives.
2. To increase sales and service effectively by helping team
3. Individually able to do sales.
4. Good team leader as well as team player also.
5. Able to handle customer query and must be having ability to resolve it if sales executive fails to fulfill client requirement.
6. Regularly follow up with existing client and also taking reference to increase business.
7. Able to handle each and every team member personally with professionally touch to increase business and revenue for company.
8. REVENUE GENERATOR.
9. Able to provide database and lead to team by his ownside.
10. Client as well company satisfaction is must.
11. Enthusiastic and Active Personality which motivate team member. Smart Personality.
12. Good MOTIVATOR.
13. Able to handle pressure.
14. Linked between Team, Company and Customer.
15. Daily reporting to ASM.

Remuneration: As per industry standard + Incentives. However it may vary depending upon the caliber and performance of the candidate.

4) Area Sales Manager

JOB PROFILE:

1. Achieving Sales Target.
2. Creating new business plan.
3. People management.
4. Keeping eye on competitor & product development.

KNOWLEDGE AND SKILL REQUIRED:

1. 10+ yrs of experience in Sales & Marketing.
2. Managing a team of 20-50 members.
3. Should be Graduate/Post Graduate with basic knowledge of computers.
4. Conceptualize, Planning, Making Strategies.
5. Creating the team based on company’s objection.
6. Strong people management.
7. Strong leadership skill, Innovative.

Remuneration: As per industry standard + Incentives. However it may vary depending upon the caliber and performance of the candidate.

5) Executive HR / Asst HR Executive/Trainee HR

Job Description:

HR Generalist Profile.

Remuneration: As per industry standard + Incentives. However it may vary depending upon the caliber and performance of the candidate.

6) Admin Asst./Admin Officer/Admin Executive (Male)

Desired Profile:

1. should able to co-ordinate all departments and monitor day to day management work.
2. Some duties include: serving as an office information manager, arranging and scheduling meetings or appointments, organizing and preserving paper and computer files, managing projects, handling travel arrangements, performing research, and distributing information through the use of telephones, mail, and e-mail.
3. Responsible for all confidential matters pertaining to the Top Management in the interest of the company.
4. Provide assistance/ Preparation of Presentation for Meetings.

Remuneration: As per industry standard + Incentives. However it may vary depending upon the caliber and performance of the candidate.

7) Technical Support Executive (TSE-WEB)

Job description:

1. The person will be responsible for customer web support and must have excellent computer knowledge with internet.
2. Good experience with customer support and soft spoken skills.
Diploma in computer applications.
3. Young graduates/ under graduates with computer savvy, internet, MS (Office), can handle web troubleshooting on phone for the existing clients/ customers.
4. Knowledge of networking, hardware/ software, web server, etc will be added advantage.

Job profile:

1. The person will be responsible for technical web support on phone and will be involve in troubleshooting of technical matters for our existing clients/ customers.
2. Person should be proficient in computer, internet, MS (Office), can handle web troubleshooting on phone for the existing clients/ customers. Knowledge of networking, hardware/ software, web server, etc will be added advantage.
3. Co-ordination with Technical support department, Web development department, Operation department, etc.
4. Work in team with high energy.
5. Good soft spoken skills, target oriented.
6. Can handle stress and good in time management.

Remuneration: As per industry standard + Incentives. However it may vary depending upon the caliber and performance of the candidate.

8) Sales & Service Engineers (Tally)

Desired Profile:

1. Conducting basic awareness programs in Computers i.e. MS Office and Tally 7.2/9.0.
2. Visiting Assigned clients and troubleshooting their technical queries.
3. Responsible for the retention of Clients by understanding their requirements and mapping them with the other solutions provided by the company.
4. Exploring the probabilities and promoting new products of the company by satisfying the clients with the best services.

Requirements:

1. The Candidate should be Male; well versed with Tally 7.2/9.0(Knowledge of MS office & Internet will be an added advantage.)
2. Since it is a field job, Own Conveyance (two wheeler) is must.
3. Good Communication and presentation skill in English/Hindi.

Remuneration: As per Industry Standard + Incentives, however it may vary depending upon the candidate’s experience and performance during interview.

Appear for interview between 10:30 am- 7:30 pm Between 2nd November 2009 to 12th November 2009 at Pel SoftLabs Pvt. Ltd. 801, 8th floor, Sakar-5, B/H Nataraj Cinema, Ashram Road, Ahmedabad.

For any other information/clarification please call 098240 54165 Or email on durgesh.bagariya@pelsoftlabs.in or ramanuj.hardik@pelsoftlabs.in with changed subject line of “Applied Post”.
We would like to inform you that the vacancies are limited and placements will be immediate. Therefore, it will be first come first get basis.

Thanks
HR & Admin, Ahmedabad.

દિવાળી ની શુભેચ્છા, આશાના કિરણને પ્રવેશવા મનના દ્વાર ખોલો!!…

dipa_l

રોજબરોજની એક જ રૂટિન વર્ક વાળી ભાગ દોડભરી જિંદગીમાં જયારે કોઈ તહેવાર આવે એટલે એકાએક એક નવો ઉત્સાહ, ઉમંગ, તાઝગી અને તરવરાટ આવી જાઈ અને વિસામો, આરામ અને આનંદ કરવાનો જાણે માઈલસ્ટોન !! તેમાં દિવાળી અને બેસતું વર્ષ એટલે પ્રકાશનું વર્ષ!! એક પ્રકાશમય, પવિત્ર, નિર્મળ સ્નેહ અને જ્ઞાનરૂપી વહેતી ગંગામાં વહેવાનું અને ભીંજાવવાનું પર્વ!!

જિંદગીમાં ચઢાવ – ઊતાર, સુખ-દુઃખ અને તડકી-છાંયડી દરેક ના જીવનમાં આવ્યાં હશે અને તેમાંથી દરેક પસાર થયા પણ હશે. પરંતુ જયારે જીવનમાં કોઈ અણધારી મુશ્કેલી કે આપદા આવી પડે છે, ત્યારે આપણને એમ લાગે છે કે મારા પર તો દુઃખોના પહાડ તૂટી પડયાં, ત્યારે આપણે નિરાશા તથા અંધકારની ગર્તામાં ધકેલાઈ જઈએ છીએ અને પછી આપણાં મનના બધા જ દ્વાર અને બારીઓ બંધ કરી દઈએ છીએ, આશાની એક કિરણને આવવા માટેનું એક પણ છિંદ્ર ખુલ્લું રાખતાં નથી. અને જે આવું એકાદ છિંદ્ર ખુલ્લું રાખે છે અને એકાદ આશાના કિરણ પ્રવેશવા દે છે તે ઊગરી જાય છે અને તે મુશ્કેલીમાંથી ઝડપથી બહાર નીકળી જાય છે.

આજકાલ આત્મહત્યાઓનું પ્રમાણ વધતું જાય છે તે ખુબ જ ચિંતાજનક બાબત છે. કયારેક આખું કુંટુંબ એકી સાથે અથવા નિરાશ વ્યકિત પોતાના બાળકો સહિત આખા કુંટુંબની હત્યા કરીને પોતે આત્મહત્યા કરે તે ખુબ જ ચિંતાજનક બાબત! તેને નવી આશાના કિરણને પ્રવેશ નહીં આપ્યો હોય કે તે સુખદ પળને યાદ નહીં કરી હોય, જયારે આ માસૂમનું તેના ધરમાં આગમન થયું’તું કે તેની માસૂમ આંખ માં નહીં જોયું હોય, નહીં તો તે જ તેની આશાનું કિરણ બનત!! આત્મહત્યા કરવાથી બધી મુશ્કેલીઓનો અંત આવતો નથી(હા, તે વ્યકિતના જીવનનો ચોક્કસ અંત આવે!) ઊલ્ટું તે પોતાની સાથે જોડાયેલાં બધા જ સંબંધીઓ માટે મુશ્કેલી વધારતો જાય છે.

તમારામાં સ્ટ્રેસ ઉત્પન્ન કરનાર તમારી ચિંતાઓ, મુશ્કેલીઓ અને દુઃખોની એક લાંબી યાદી એક કાગળમાં લખીને તૈયાર કરો અને પછી તે કાગળને તમારા ટોઈલેટ માં પધારાવીને એક પાણી નો ફલેસ કરો કે રેડીને વહાવીદો (‘જબ વી મેટ’ ફિલ્મની જેમ) અથવા તમારા ઘરની બહાર આસપાસ ની કોઈક ખુલ્લી જમીનમાં ઊંડો ખાડો કરીને તેમાં દાટી દો અને પછી તેના પર સરસ કોઈક મજાના કોઈક ફૂલનું બીજ કે રોપો વાવી દો, આવતી દિવાળીએ કે બેસતાં વર્ષે તમારી તે ભંડારેલી ચિંતાઓ અને મુશ્કેલીઓમાંથી નક્કી ત્યાં સુંદર મજાના ફૂલો મહેકાવતો છોડ ખીલી ગયો હશે.

એકવાર નિરાશ થયેલાં વ્યકિતને બધું જ નિરાશામય પ્રાપ્ત થાય છે. અને એકવાર જાગેલી ઉમીદને ઝડપી લેનાર અને હિંમત રાખનારને ઈશ્વર પણ મદદ કરે છે, હિંમતે મર્દા તો મદદે ખુદા!! આશા અને ઉમીદ આત્મવિશ્વાસ વધારનાર પ્રેરક બળ છે. એક વાર બાદશાહાં જહાંપનાએ એક વ્યકિતને ગુનો કરવા બદલ ગંગા નદીના ઠંડા પાણીમાં શિયાળાની કડકડતી ઠંડીમાં આખી રાત ઊભા રહેવાની અને તે દ્વારા મૃત્યુ દંડ ભોગવવાની સજા આપી! તેનું મૃત્યુ નક્કી હતું. બીજા દિવસે જોવામાં આવ્યું કે તે વ્યકિત તો જીવતો છે. બાદશાહે તેનું કારણ તે વ્યકિતને પૂછ્યું, તેના જવાબમાં તે વ્યકિતએ જણાવ્યું કે ‘જહાંપનાં, ગાત્રો ગાળી નાંખે તેવાં ઠંડા પાણીમાં નદીની વચ્ચે ઊભાં રહીને ઠંડની આખી રાત મેં દૂર એક ઝૂંપડીમાં બળતાં દીવા ને જોતો રહીને પસાર કરી, તે જલતો દીપ મને જીવન જીવવા માટે નું બળ મારામાં પૂરતો હતો. હૂંફ આપતો હતો.’ તેની જીજિવિષા નું બળ તે દીપે પૂરૂ પાડયું! આ પ્રેરકબળ આપણે આખા વર્ષ દરમિયાન મળતું રહે અને દિવાળી ની રોશની સદા આપણાં જીવનમાં ઝગમગાતી પ્રકાશ રેલાવતી રહે તે માટે જ આપણે આ સપરમ દિવસો માં દિવડાં પ્રગટાવતાં હોઈએ છીએ, આ પ્રકાશ અપણાં મનનાં અગોચર ખૂણાં સૂધી પહોંચવો જરૂરી છે, તો તે તમને આખું વર્ષ રોશની આપતો રહેશે, બસ મારી આ જ અંતરની અભિલાષા છે કે આ આશા રૂપી કિરણ અને પ્રકાશ સદા તમારા જીવન અને મનને પ્રકાશતો રહે અને તમારા અધૂરાં રહેલાં કાર્યો આ નવા વર્ષે પરી પૂર્ણ થાય તેવી સૌ વાચક મિત્રોને શુભેચ્છા. Happy Diwali & Happy New Year To You & Yours Whole Family!! અસ્તુ..

દિપાવલી કે ફટાકે !!…

હિન્દી ચીની ભાઈ-ભાઈ ના નારા આપણે ભલે લગાવતા હોય, પરંતુ આ ભાઈએ જ પીઠમાં એક દિવસ ખંજર ભોંકી દેવાનો તે નક્કી છે!!..(આપણે શાંતિમાં માનનારા પણ, તે શાંતિ માટે આપણને કોઈ એવોર્ડ આપવાનું નથી!!)ચીન હંમેશા સૂરસૂરીયાં કરતું રહ્યું છે…
તેમાં સૂરસૂરીયું નં.૧ – તેને ઘણી વાર દુનિયાના પોતાના નકશામાં અરૂણાચલપ્રદેશ ને પોતાના ચીનમાં બતાવ્યો છે, અને ભારત ના નકશામાંથી બાદબાકી!!

સૂરસૂરીયું નં.૨ – ૨૦૦૭માં એક IAS અધિકારીએ જયારે ચીન પાસે વિઝાની માંગણી કરી તો ચીન ના રાજદૂતે જણાવ્યું કે અરૂણાચલપ્રદેશ તો ચીન નો જ છે તેથી તે પ્રદેશવાસી ને ચીનમાં આવવા માટે વિઝાની શું જરૂર?! (લો, કર લો બાત!!)

સૂરસૂરીયું નં.૩ – ફેબ્રુઆરી ૨૦૦૯માં પણ જયારે વડાપ્રધાન મનમોહનસિંહ અરૂણાચલપ્રદેશ ગયા તો તેમની આ મુલાકાત સામે વાંધો ઊઠાવ્યો.
-અને લાલ ડ્રેગન ચીને હવે પોતાની મેલી મુરાદનું પોત પ્રકાશમાં લાવી દીધું અને સીધો જ ખુલ્લેઆમ એટમ બોમ્બ ફોડી દીધો!.. ચીને ૩ ઓકટ. ૨૦૦૯ ના રોજ આપણાં વડાપ્રધાન શ્રી મનમોહન સિંહે ભારતના અભિન્ન અંગ એવા અરુણાચલપ્રદેશ ની મુલાકાત લીધી અને ત્યાંની વિશાળ જનમેદની ને સંબોધી તેમાં ચીન ના પેટમાં ઊનું તેલ રેડાયું અને ન રહેવાતા દસ દિવસબાદ તેને પોતાની મેલી મુરાદ જાહેર કરતો ચીન ના વિદેશ મંત્રીએ ખુલ્લો ઈ-મેલ મોકલીને ધમકી અને ચેતવણી આપી છે કે આવી મુલાકાતો લઈને વડાપ્રધાન અમારા વિવાદાસ્પદ સ્થળે મુલાકાત લઈને દખલગીરી ન કરે, લો કરી લો વાત !! આપણાં જ ઘરમાં રહેલાં તમારા હક્ક ભોગવટામાં આવતાં બીજા રૂમમાં તમને કોઈક સીધા જતાં રોકે તેવી વાત થઈ! છતાં ભારત શાંતિમાં માને છે?!
ભાઈ ચીનની સામે તો આપણાં થી સીધે-સીધા બાખડીયા ભરાઈ તેમ નથી,કેમકે તેની લશ્કરી તાકાત અને શસ્ત્ર શરંજામ માં પણ આપણાં થી ડબલ તાકાત ધરાવે છે. પણ તેની મુખ્ય તાકાત અને તેની મુખ્ય વિકનેસ ભારતમાં ચાઈના મેક ચીજ-વસ્તુનો વૈપાર અને માર્કેટ છે. જો આ વસ્તુઓ ખરીદવાનું ભારત બંધ કરે તો તેના અર્થતંત્ર પર મોટો ફટકો પડે તેમ છે.
****

વિશ્વ શાંતિ નૉબલ એવોર્ડ માટે મહાત્મા ગાંધીજીનું નામ ત્રણ વાર શોર્ટ લિસ્ટમાં આવેલ એક ૧૯૩૭માં બીજી વાર ૧૯૪૭માં અને ત્રીજી વાર ૧૯૪૮માં પણ દુઃખદ અને આશ્ચર્યની વાત એ છે કે ધોળીયાઓની બનેલી આ કમિટીએ એક પણ વાર આ નામ પર પોતાની મહોર નથી લગાવી!! કદાચ ગાંધીજીએ તેમના શાસન નો અંત લાવીને હાંકી કાઢયાં તે બાબત હજુ પણ તેમને ખૂચે છે, ભલે પછી તે નામ પૂરતાં તેમના આદર્શોના વખાણ કરતાં હોય, પણ તેમનાં દાંત દેખાડવાના અને ચાવવાના અલગ – અલગ છે. આજે તો પરીસ્થિતી એવી છે કે જે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને પાર્ટીઓ રાખે અને મિડીયામાં છવાઈ રહેવા માટે અને એવોર્ડ માટે પણ પૈસા ખર્ચે તેના નામે એવોર્ડ!!…

****

છેલ્લે એક વાત એ કે ફટાકડાંઓનું દારૂખાનું તો સાંભુંળ્યું છે અને ખરીધ્યું પણ છે કે ગયા વર્ષનું પડતર પડેલું અને પછી ઘરે આવીને ફોડવા બેસીએ તો સરસૂરિયાં જ થાય, ધડાકો ન થાય!! પણ હવે તો મીઠાઈ માત્ર ડાયાબિટીસ વાળાઓ માટે માત્ર ઘાતક નથી હવે તો તે આબાલ થી વૃદ્ધ સૌને માટે ઘાતક નીવડી શકે છે, તમે સમાચાર સાંભળ્યાં જ હશે છતાં તમને જણાવી દઉં કે મિઠાઈ માં નકલી ઘી તો વપરાઈ જ છે પણ સાથે સાથે હવે દૂધ પણ નકલી !! કંઈક ખોયા જેવું કેમીકલ (રંગ પણ કેમીકલનો)નાંખી ને આવી આવી મિઠાઈઓ બનાવવામાં આવે છે. ખાધ્ય પદાર્થ અને સ્વાસ્થ્ય સાથે આટલાં મોટાં પ્રમાણમાં ચેડાં થાય ત્યારે નગરપાલિકાના સેનેટરી ઈન્સપેકટરો તો કંઈ કરવાનાં નથી પણ આપણે પોતાને ચેતી ને ચાલવું તે જ મોટું અને જરૂરી પગલું !! રંગે-બેરંગી મિઠાઈઓનાં બહારના ચટાકેદાર સ્વાદ લેવાં કરતાં ઘરે જ કોઈક એકાદ મિઠાઈનો અને ફરસાણ બનાવીને તેનો સ્વાદ લેવો સારો!!..બાકી તો રામ હી રાખે!!…

ન્યુઝ માં એડવર્ટાઈઝ, સિરીયલના કથાવસ્તુમાં પણ એડવર્ટાઈઝ!…દર્શકો પર જાહેરાતોનો મારો!!…દેખે તો કયાં દેખે!!..

આજે તા. ૦૯.૧૦.૦૯ ના રોજ સવારમાં જ ગુજરાતી ટીવી ૯ ન્યુઝ ચેનલ પર સમાચાર તરીકે સોના સેન્ડવીચ નામની નવી ખુલ્લેલી એક ખુમચા લારીને, સમાચાર તરીકે ખપાવીને જાહેરાત દર્શકો પર ઝીંકી દીધી. અને તેમાં જ પાંચ-સાત મિનિટ વેસ્ટ કરી. આ પાંચ-સાત મિનિટમાં ટીવી ન્યુઝ ચેનલ ધારત તો અન્ય કેટલાંક સમાચાર કે જે સંક્ષિપ્તમાં આપે છે, તે પૂરા બતાવી શકી હોત!!.. (ટીવી ૯ ને તે જાહેરાતને સમાચાર બનાવીને રજૂ કરવાના તેને કેટલાં મળ્યાં તે તો તે જ જાણે!!) આ એક સેન્ડવીચ રૂ.૫૦૦ ની છે (શોકીંગ સમાચાર જ કહેવાય?!) પણ તેને સમાચારમાં ખપાવીને લોકો સુધી પહોંચડાવા માટે પાંચથી સાત મિનિટ આપવી અને બીજા સમાચારોને ન્યાય નહીં આપી તેને અવગણવા તે બાબત વધારે પડતી અને દર્શકોની નવા સમાચારની અપેક્ષામાં એક જ બાબત ઝીંકે રાખવી કેટલી હદે વ્યાજબી?! ટીવી ૯ ગુજરાતી ન્યુઝ ચેનલમાં ૨૪ કલાક સમાચાર પીરસ્તી એકમાત્ર નં.૧ ચેનલ છે. તેના આ નં.૧ ને આવા સમાચાર આપીને શું તે જાળવી રાખશે?! આપણે અન્ય હિન્દી ન્યુઝ ચેનલો તો જોઈએ જ છીએ કે તેમાં એક ના એક ન્યુઝ ચીંઈગ્મની જેમ ચાવી ચાવીને, એક ની એક વાત આખા દિવસ દરમિયાન રીપીટ કર કર કરતાં હોય છે, ઘણી વાર સમાચાર ન મળતાં સિરિયલો ને જ બ્રેકીંગ ન્યુઝ તરીકે ખપાવીને ઠોકી દે છે (તેમને દર્શકોના દિમાગનું દહીં કરવામાં મજા આવતી લાગે છે!!..) આખરે થાકીને, માથું ચઢી જાયતો રિમોંટ નો ઉપયોગ કરીને ચેનલ બદલવી પડે. બીજુ આપણાંથી થાય પણ શું?!..

-અને જો તમે રિમોંટથી ચેનલ બદલાવી નાંખી અને સીઆઈડી(મારી ફેવરીટ) સિરીયલ જોવા સોની પર જાવ અને ત્યાં તેના રહસ્યના તાણાં-વાણાં જોવાની લાલચમાં ડુપ્લીકેટ સીડી બનાવતા તત્વોનો પર્દાફાસ કરતો હપ્તો જુઓ અને તે કથાવસ્તુમાં જ તમને ‘વૉન્ટેડ’ ફિલ્મ ની તે બહાને જાહેરાત ઠોકી દીધાનો અહેસાસ સિરિયલ પૂરી થતાં પાછળથી રહીને થશે.(વૉટ એન આઈડીયા સરજી!!) સંવાદોમાં પણ નવી સિરીયલો જે આવવાની છે તે આ સીઆઈડી ના ઈન્સપેક્ટરો તેના નામ બોલીને સાહજિક રીતે જાહેરાત કરી દે છે.(આ માટે સોની એન્ટરટેઈન્ટમેન્ટને દાદ આપવી પડે!)

-આમ તો હવે એકંદરે એવું થઈ ગયું છે કે સિરીયલના વચ્ચે જાહેરાત નહીં,પરંતુ જાહેરાતના વચ્ચે સિરિયલ આવે છે!!..તેમાં વળી આ નવો આઈડીયા કહો કે નવું ગતકડું, પણ દર્શકો નો ભેજા ફ્રાય મગજનું દહીં થવાનું તે નક્કી!!..

‘પતિ, પત્ની ઔર વૉ, વૉ બોલેતો છોટા બચ્ચાં!..TV Reality Show કે બચપણ પર દમન!!

હમણાં ઈન્ડિયા ટીવી ઈમેજીંગ પર ‘પતિ, પત્ની ઔર વો’ નામનો રિયાલીટિ શો ના નામે ઈન્ડિયા ટીવીએ તેની ઈમેજ પ્રમાણેનું ઔર એક ગતકડું માત્ર ને માત્ર ટીઆરપી વધારવા માટે ચાલુ કર્યો છે. આ રિયાલીટી શૉ નું ટાઈટલ નામ જોઈને રખેને માનતા કે ‘વૉ’ એટલે પત્ની ની શૌક્ય કે સૌતન! નહીં, મિત્રો ‘વૉ’ એટલે ‘બાળક’! અને તે પન શૉ માટે ભાડે લાવવામાં આવેલ! બિચારા નિર્દોષ બાળકનો આમાં શું દોષ ?!

આ શો શું કહેવા માંગે છે?! ચાલો સમજીએ કે ‘સચ કા સામના’ વ્યકિતને સાચું બોલાવીને કદી ન ખુલ્યાં હોય તેવા અંગત જિંદગીના પ્રકરણો ખોલે છે, ‘ખતરો કે ખિલાડી’ હિંમત, સાહસ અને શોર્ય જે છુપાયેલ છે તે બહાર લાવે છે, ખુબ જ સુંદર અને ટેણીયા એન્કર દ્રારા સંચાલન થતો અને નાનકડાં સૂરનાં નવા – નવા સ્ટાર હીરા શોધીને સીંગરો આપનાર ઝી ટીવી નો ‘ લિટલ ચેપ્સ’ આ બધા જ સૌને ગમે અને પૂરેપૂરૂ મનોરંજન પિરસ્તાં રિયાલીટી શૉ છે. રિયલ રિયાલીટી શૉ! પણ આ ઈન્ડિયા ટીવી આ શૉ દ્વારા શું મનોરંજન પિરસ્વા માંગે છે તે કંઈ ખબર પડતી નથી. ‘સ્વંયવર’ માં તો જાણે સમજ્યાં કે ભાઈ રાખીબેન(આપણાં મિત્ર માર્કડ દવે સાહેબ તો રાખી સાંવત માટે વિશેષ વિશેષણ વાપર્યું છે ‘બિલાડીના બળેલાં મોંઢા વાળી’) ને મૂરતિયો શોધવો હતો.પરંતુ આ શૉ માત્ર ને માત્ર એમ બતાવવા જઈ રહ્યો છે કે કંઈ રીતે આ શેલિબ્રેટિઓ બાળકને સંભાળે છે! અરે, ભાઈ આ બુદ્ધિનું દેવાળું ફૂંકવા જેવું છે. આઈલા, આ તો માતા બનવા માટે અને બાળકની સંભાળ રાખવા માટેની ટ્રેનિંગ આપતો શૉ! (આ શૉ જોઈ કદાચ લોકો ‘માતા બનવા અને બાળકની સંભાળ માટેના ટ્રેનિંગ’ સેન્ટર ઊભાં કરીને નવો ધંધો ચાલુ કરે તો નવાઈ નહીં!) દુનિયામાં કંઈ સ્ત્રી છે કે માતા બનવા માટે તેને ટ્રેનિંગ લેવી પડે?!

ખેર, ઈન્ડિયા ટીવી આવા ગતકડાં સિવાય નોંધનીય (સિવાય કે શકિત કપૂરનું સ્ટીંગ ઓપ્રેશન)કંઈ અત્યાર સુધીમાં ઊકાળ્યું નથી. પરંતુ આ શૉ માં આ બધી વાતોથી બેખબર નિર્દોષ નાનકડાં બાળકોને સૌથી વધુ ભોગવવાનું છે. કેમકે સૌ પ્રથમ જ (આ શૉના મારે પણ કમને જોવા પડયાં આ લેખ લખવા માટે, અને હૈયુ રડી પડયું)જે બાળક રાખી સાંવંતને આપવામાં આવ્યું (આમાં રાખી ને પ્રેગનેટ થતી દર્શાવી છે, બોલો લગ્નના એક જ મહિનામાં નવ મહિનાની પ્રેગ્ન્નસી!!)તે બાળક જયહિંદ એટલો રડતો હતો કે ન પૂછો વાત અને છતાં રાખી આ રડતાં બાળકના મોંઢામાં ચમચીથી વારંવાર દૂધ અને કંઈક પરાણે નાંખવાનો વારંવાર પ્રયત્ન કરતી હતી, તે જોઈને હું તો દંગ થઈ જ ગયો પણ તે બાળકના માતા-પિતા પણ વ્યથિત થઈ ને રડી પડયાં, તેમને તેમની ભૂલ સમજાતાં બાળકને લઈ ગયાં!

લગ્ન કરીને સંતાન પેદા કરવા તેની સારસંભાળ લેવી તે એક રૂટિન વર્ક છે, તેમાં ટ્રેનિંગ કે કોમ્પીટેશન રાખવી અને કોણ બાળકને અને તે પણ પંડ પીડાથી પેદા કરેલાં નહીં પણ અન્ય માતાપિતાના સંતાનને લોકો ને મનોરંજન પૂરૂ પાડવા માટે થઈને ભાડે લઈને પ્રદર્શન કરવું, તે પણ એવા બાળક કે જેને તેની મરજી-નામરજી જણાવી શકે તેમ નથી, તે એક અત્યાચાર અને અમાનૂષી કૃત્ય છે, અત્યાચાર છે! બાળકના રુંદનમાંથી પાશવી આનંદ મેળવવાનો?! બાળક નો જન્મ થાય ત્યારથી જ તે તેના લોહીનો સંબંધ ધરાવતા માતા-પિતાને સ્પર્સથી કે આવાજથી ઓળખતો થઈ જાય છે, માતા ના હાથને અને પારકાં ના હાથને સારી રીતે ઓળખવાની તેનામાં જન્મજાત કુદરતી શકિત હોય છે તે આપણે સૌ (અને આ પૈસા માટે થઈને બાળકો આપનારા) સારી રીતે વાકેફ છીએ. બાળક ભગવાનનું સ્વરૂપ છે અને તેની બાળ લીલા ની એક એક પળ અને ક્ષણ અવિસ્મરણીય અને કૌતુક જન્માવનારી કે આનંદ આપનારી હોય છે. માટે જ શ્રીકૃષ્ણ ભગવાનને પણ સૌથી તેમનું પ્રિય સ્વરૂપ બાળ લીલા જ હતી! જે આ બાળ લીલા નૈસર્ગિક રીતે રોજિંદી ક્રિયાઓમાં બાળક તેના માતા-પિતાની સાથે રહીને તેના ઘરમાં કરે અને ૨૪કલાક મંડારાયેલા ટીવી ના કેમેરા આગળ અને તે પણ પોતાના અસલી માતા-પિતા વગર થોડીવાર માટે બની બેઠેલાં અજાણ્યાં વ્યકિતઓ સાથે જે બાળલીલા(બાલલીલા નહીં પરંતુ બાળકના નિસાસા અને આંક્ર્દ જ જોવા મળે છે) કરે તેમા જમીન – આસમાન નો ફરક?!

-અને મને જેની આશંકા હતી તે વાત સાચી પડી NCPCR( The National Commission for Protection of Child Rights)એ -બાળ સંરક્ષણ ખાતાંએ આ શૉ ને સીધી બંધ કરવાની અને કાં તો જવાબ આપવાની નૉટીશ ફટકારી છે. આ એક બાળકો પર અત્યાચાર અને દમન જ કહેવાય! તેના બાળપણ ને સરેઆમ તેના પર કલાકો સુધી ટીવીના કેમેરા રાખીને – પારકાં સાથે રાખીને, તેના માતા-પિતાથી કલાકો સુધી દૂર રાખીને, હજુ તો પાંગરતાં ફૂલ જેવા બાળપણ ને કચડી રહ્યાં છીએ!! તેમાં આ ઈન્ડિયા ટિવી ઈમેજીંગ જેટલાં જવાબદાર છે તેટલાં તે બાળકને આપનાર માતા-પિતાઓ, આ રિયાલિટી શૉ માં ભાગ લેનાર કન્સેપ્ટશનો અને આપણે મૂક બનીને આ તમાશો જોનારા એવાં દર્શકો -આ બધા જવાબદાર છીએ.

તેથી આપણી પણ એક દર્શક ફરજ છે કે આવાં ગતાકડાં અને મનોરંજન નિર્દોષ બાળકના બાળપણ ના ભોગે(માતા-પિતાની મરજી, પણ બાળકની!)તો ન ચલાવવા દો. તેનો પૂરજોશમાં વિરુદ્ધ કરો. આ શૉ માં ભાગ લેનારા રાખી સાવંત જેવા તો બાળક ન રહેતાં ખુલ્લેઆમ બોલે છે કે’મેરે કો બચ્ચા દિયા હૈ કે બંદર!’બાળક ટોઈલેટ કરે કે પેશાબ કરે તો સૂગ ચઢાવીને તેના કપડાં બદલવામાં આવે છે. તો પણ આપણાં પેટનું પાણી ન ડગે અને હજુ પણ આટલું ટીવી ના પડદે દેખાય છે બાકી પડદા પાછળ તે બાળકનું શું થતું હશે તે તો રામ હી જાણે?! બાળક ટોઈલેટ કરે કે પેશાબ કરે તો સૂગ ચઢાવીને તેના કપડાં બદલવામાં આવે છે. આ ભાગ લેનારા રાખી સાંવત જેવાને મારી તો ખુલ્લી સલાહ અને ઈન્ડિયા ટીવી ને ચેલેન્જ છે કે તમે રાખી અસલમાં પોતાના અંગત જીવનમાં પ્રેગ્નેટ બને ત્યારથી લઈને તેને ડિલેવરી થાય તે અને તે પોતાના બાળકને મોટો કરે ત્યાં સુધી તેનો રિયલ લાઈવ પ્રસારણ કરો તો ખરા! અને કદાચ તમારી ટીવી નો તો જ ટીઆરપી વધે પણ ખરો!(આવા શો AXN અને ડિસ્કવરિ પર બતાવવામાં આવે જ છે ને!) બાકી રાખીબેન અને બીજા ભાગ લેનારાઓને તો એટલું જ કહેવાનું કે તમે આ રીતે લાઈવ કંઈક તમારા પોતાના બાળકો પેદા કરીને બતાવો!

આજે મળ્યો -સામાન્ય માણસમાંથી અસામાન્ય માણસ!!

150px-Gandhi

- એક સામાન્ય માણસ કે જેને ભણવામાં રસ નહોતો..શાળામાં પરાણે જતાં..સામાન્ય વિધાર્થી, શાંત અને આતર્મુખી! મેટ્રીકયુલેશન માંડ પરૂ કર્યું. ઊચ્ચ અભ્યાસ માટે શેઠ શામળશા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો પણ ટકયાં નહીં.

-કુંટુબ વૈશ્ણવ જૈન, ખુબ જ ધાર્મિક!

-બાળ લગ્ન જેવા કુરિવાજ નો તેઓ પણ ભોગ બન્યા અને માત્ર ૧૩ વર્ષની વયે લગ્ન કરવાં પડયા.
-સામાન્ય દેખાવ અને દુબળું-પાતળું એકવડું શરીર.

– અડધી જિંદગી સામાન્ય માણસ તરીકે જ વિતાવી

- ખમતીધર કુંટુંબ અને ઘણાં સભ્યો નૌકરી કરતાં હોવાથી બેરિસ્ટર બનાવવા માટે બ્રિટન ભણવા મોકલ્યા.

-બેરિસ્ટર બન્યા પછી પણ તેમને કોઈ કેસ મળતો નહોતો, રાજકોટમાં માત્ર અરજીઓ લખતાં રહેતાં.

- ત્યાંથી તેઓ મુંબઈમાં પ્રેકટિશ માટે ગયા, પણ ત્યાં પણ સફળતા મળી નહીં.

- ત્યાં જ તેમને એક સિનિયર એડવોકેટ ના અસ્સિટન્ટ રહેવા માટે દક્ષિણ આફ્રીકા ગયા અને ઈતિહાસ બદલવા માટે ના એક નવા પ્રકરણની શરૂઆત થઈ!…

- એક આત્મવિશ્વાસ વિહીન અને બધી જગ્યાએ નિષ્ફળ રહેનાર -સામાન્ય માણસમાં ત્યાંના અત્યાચાર અને રંગભેદ નીતિના વિરૂદ્ધ લડવાનો જુસ્સો પેદા થયો અને તેને “અસહકાર આંદોલન” અને “અહિંસક આંદોલન” ના પગરણ માંડ્યાં અને ભારતને સામાન્ય માણસમાં એક અસામાન્ય ક્રાંતિકારી વિચારો ધરાવતો અસામાન્ય માણસ મળી ગયો!…

જયારે હજારો લોકો આઝાદી મેળવવાનાં જંગ માં લડતાં-લડતાં ખપી ગયાં અને તે જ વખતે
એક યુવાન ડોસલાંએ લોહીનું એક પણ બુંદ રેડાયાં વગર પોતાનાં આગવાં આચાર અને વિચારોથી બસો વર્ષથી ગુલામીમાં જકડાયેલી પ્રજાને
આઝાદી અપાવી – ત્યારે મહાત્મા ગાંધીજીએ તે સમયે એવું નહોતું વિચાર્યું કે આટલાં બધાં શુરવીરો ને ક્રાતિકારીઓ શહીદ થઈ ગયાં ત્યાં
આપણે શું કરી શકવાનાં ?!…જો તેમને તે વખતે આવું વિચાર્યું હોત તો ?…

બસો વર્ષ સુધી રહીને ભારતની ભૂમિને પોતનું ઘર બનાવી દેનાર અને ભારતીયોની ઘોર ખોદી રહેલાં શાસન ને એક ક્રાંતિકારી નવા વિચાર સત્ય, અહિંસા અને સિદ્ધાંતવાદી ના આ વિચારો ની તાકાતથી ખાલી ભારતને જ નહીં, પરંતુ આ વિચારનો એવો પવન ફૂંકાયો કે અંગ્રેજો ના દુનિયાના જે-જે દેશો પર રાજ ચાલતા હતાં ત્યાં-ત્યાં આ વિચાર મંત્ર બનીને ફૂંકાયો અને તેમના વિશાળ વિસ્તરેલી સલ્તનતને રહશ-તહશ કરીને ફંગોળી દીધી અને ગુલામીમાંથી મુકત થયા.

મહાત્મા ગાંધીજીની ભૂલો શોધનારા અને તેમને પાછળથી ભાંડનારાઓની સંખ્યા આજે પણ ભારતમાં પણ કંઈ ઓછી નથી. તેમને મારે માત્ર શાન માં એક જ વાત સમજાવવી છે કે આજના શાસન સામે કે જેના પર આપણાં ચૂંટેલાં અને આપણે બેસાડલા નેતાઓ અને શાસકો સામે આપણે આ લોકશાહી યુગમાં તેને કરેલા કૌભાંડો કે અનિતી સામે આંગળી ચીંધી શકતા નથી કે આવાજ નથી ઊઠાવી શકતા તો આતો બહારના ગોરાઓ અને સુવ્યવસ્થિત અને આધુનિક શસ્ત્રો સંરજામ રાખનારા શાસકો સામે પડવું એ જેવી તેવી હિંમત વાળાનું કામ નહીં, તે માટે છત્રીસની છાતી જોઈએ! જે આજે આપણાં કોઈમાં નથી, છે કોઈ?!

એ રીતે તો ગાંધીજી મહાન હતા અને સદા રહેશે, એમાં કોઈ શક નથી! અને તેમના જેવો સત્યવાદી અને સિદ્ધાંતવાદી પુરૂષનો જોટો તો જગતભર માં શોધવા જઈશું તો મળશે નહીં!
જયહિંદ!!..

એક આઈડીયા,જો બચાયે આપકી દુનિયા!…જાગો-યુવા-જાગો…યુવા ઝુંબેશ-ભાગ-૩

આજ ના આ દિવસે ભારતની આ ધરતી પર, પ્રથમ વાર ક્રાંતિકારી વિચારોની સાથે અંગ્રેજોની જોહુકમી અને જુલ્મી શાસન સામે માત્ર ૧૯ વર્ષની નાની વયે ખુલ્લેઆમ બંડ પોકારીને અંગ્રેજોની ભરી પાર્લામેન્ટની વચ્ચે બોમ્બ બ્લાસ્ટ કરીને અંગ્રેજ સલ્તનત ને હચમચાવનાર અને ક્રાંતિના મૂળીયા નાંખનાર નવયુવા શહીદ ભગતસિંહ નો જન્મ થયો હતો. ૨૭ સપ્ટેમ્બર ૧૯૦૭માં પંજાબના નાનકડા ગામ લાયલપુર માં જન્મ, માત્ર ૧૯ વર્ષની નાની ઉંમરમાં તે આખા દેશનો હીરો બની ગયો અને માત્ર ૨૩ વર્ષની નાની વયે ફાંસીના માંચડે કોઈપણ જાતના ભય કે દુઃખ વગર હસતાં મોંઢે ચઢી ને શહીદ થઈ ગયો, પણ લોકોના દિલો-દિમાગમાં અમર થઈ ગયો!!…

આવા વીર ક્રાંતિકારીની જન્મતીથિ ની ઊજવણી કે શ્રદ્ધાંજલિ ભવ્ય અને અનોખી રીતે થવી જોઈએ.
તમે કદી અકસ્માત થતો જોઈઓ છે?! ટ્રેન કે રોડ અથવા હાઈવે પર જયારે કોઈ વાહન નો અક્સ્માત થાય અને ત્યારે વાહનમાં દબાઈ ગયેલા, કચડાઈ ગયેલા, ફસાઈ ગયેલા, ઘાયલ થયેલા ની દર્દનાક ચિચીયારિઓ અને બચાવ..બચાવની ચીસો સાંભળીને તમે તેમની મદદ કરેલી ?! કે પૉલીસના લફરાં ની બીકે ત્યાંથી ભાગી છૂટેલાં?! મોટે ભાગે આવું બનતું હોય છે કે એક્સિડન્ટ વખતે લોકો કયાંક તો ઊભાં રહીને તમાશો જૂએ છે અથવા પૉલીસ ના લફરાં અને કૉર્ટના ધરમધક્કા ના ખાવા ન પડે તે માટે આ રીતે વર્તતા હોય છે, પરંતુ મિત્રો હું તમારી જાણ ખાતર જણાવી દઉં કે હવે કાયદામાં તે બાબતે(જેમાં પૉલીસ જે અકસ્માત નો ભોગ બનનારને બચાવવાના ઉદેશથી અસ્પાતલ લઈ આવે તે વ્યકિતને જ જાણે તે ગુનેગાર હોય તેમ શંકાના દાયરામાં લઈ લેતી અથવા ફરીયાદી બનાવતી કે સાક્ષી બનાવતી) ખુબ જ સુધારો કરવામાં આવ્યો છે અને આવી વ્યકિતને ફરીયાદી કે સાક્ષી બનાવવાનું કોઈપણ જાતનું દબાણ નહીં કરવાનું અને તે વ્યકિત ઈચ્છે તો જ તેને સાક્ષીમાં લેવો તેવો સ્પસ્ટ ઉલ્લેખ કરી નવી કલમ ઉમેરવામાં આવી છે. તેથી આવા સમયે કોઈકની જિંદગી બચાવીને તેને નવજીવન આપવાની મદદ કરવામાં કયારેય પાછી પાની કરતાં નહીં કે તમારામાં રહેલાં માનવીને કે માનવતાને મરવા દેતા નહીં.

હવે અગત્યની વાત એ કે ગુજરાતમાં કયાય પણ અક્સ્માત થાય ત્યારે ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ આર્શિવાદ સ્વરૂપ ઈમરજન્સી એમબ્યુલન્સ વાન ૧૦૮ પર કોલ કરીને બોલાવી શકાય. આમ છતાં જો તેને વાર લાગે તેમ હોય અને સમય ઓછો પડે તેમ હોય તો “જીવન બચાવો-મિશન લાઈફ ઇન્ડિયા” કે જે અમદાવાદથી આગળ જતા હાઈવે પર જો અક્સ્માત થાય તો તુરંત આ હેલ્પલાઈન પર ફોન કરીને બોલાવી શકાય.

હેલ્પલાઈન નં.9825000500 તથા 9825002600

અથવા
079-26840444

ભારતમાં તમે ગમે ત્યાં-હોય તમને કે તમારા સગાંસંબંધીઓ માટે લોહીની જરૂર પડે તો નીચે આપેલ નંબર પર મેસેજ લખીને મોકલો કે કોલ કોલ કરો, તે તમારી જરૂરથી મદદ કરશે.

This is very useful information pass it on to everyone you know.
Now it has become easier to get the blood we need.

All you have to do is just type

“BLOOD and send SMS to 96000 97000 (INDIA)”

EX: “BLOOD B+”

A BLOOD DONOR WILL CALL YOU!!

So please pass this message to all. It certainly would save many lives.

Its a Must to Know & Share. Do it now….

Forward this to all your friends whom you care…..as the minute you spare to share this information can save somebody’s life with rare Blood Group! If you couldn’t be a Donor is a Communicator.

મિત્રો કોઈકની અમૂલ્ય જિંદગી બચાવીને તેને જીવતદાન આપીને નવો જન્મ આપવો, ઘણીવાર આપણાં હાથમાં હોય છે. પરંતુ કયારેક આપણી બેદરકારીને લીધે, સમયસર સારવાર અને મદદ ન મળવાથી કે સમયસર રક્તદાતા કે બ્લડબેંકમાં ખાસ કરીને એવી જ પરિસ્થિતી જોવા મળે છે કે બ્લડ તે ગ્રૃપનું તે સમયે ઉપલબ્ધ થતું હોતું નથી. અને રક્તદાતા માટે અને લોહી માટે ફાંફા મારતા લાચાર લોકોને મેં જોયા છે.

આવી પરિસ્થિતી ન ઊભી થાય તે માટે મને એક નવો વિચાર-એક નવતર આઈડિયા મારા દિમાગમાં આવ્યો છે, કે કેમ આપણે સૌ ભેગા મળીને એક ઓનલાઈન સૌ કોઈ જોઈ શકે તેવી એક ડીરેકટરી બ્લડડૉનર ની બનાવીએ નહી?! મારો વિચાર છે કે કોઈક આવો જ બ્લોગ બનાવીએ કે વેબસાઈટ બનાવીએ અથવા બ્લડડૉનર ગ્રૃપ બનાવીએ અને તેમાં આપણાં રક્તદાતાઓ સ્વૈચ્છિક રીતે પોતાના નામ, સરનામું, મોબાઈલ નંબર અને પોતાનું બ્લડગ્રૃપ લખીને મોકલે અથવા તેમાં ઉમેરાતાં જાય અને કોઈપણ લોહીની જરૂરિયાતવાળા વ્યકિત આ ડીરેકટરીમાંથી તેમના સૌથી નજીક પડતાં બ્લડડોનર ને સંપર્ક કરે!!વિદેશમાં પણ પોતાના શહેરમાં રહેતી વ્યકિત આ રીતે કોઈપણ ભારતીય બ્લડડૉનરને સહેલાઈથી સંપર્ક કરી શકે.

“આપ મૂએ, પીછે ડૂબ ગઈ દુનિયા!” હા, મરી ગયેલા માણસ માટે તો દુનિયા પણ…પણ આ આઈડિયા કદાચ તમારી ડૂબતી દુનિયાને બચાવી શકે. આ માટે તમારા અભિપ્રાય આવકાર્ય છે. તમારૂ કહેવું શું છે?! હા, આવા સમયે કોઈ નેટ ખોલીને જોવા કે ખા ખાં ખોળા ન કરે, પરંતુ પોતાના શહેર કે નજીક રહેતા બ્લડડૉનર વિશે ની માહિતી આ બ્લોગ કે વેબ પરથી મેળવીને નોંધ હંમેશા રાખી શકાય. પીડીએફ ફાઈલ માં પણ યાદી બનાવી શકાય. શું આ બાબતે મને આપણો સહકાર મળશે. તમારા સુચન તથા અભિપ્રાયની અપેક્ષા સહ…

‘આવ્યા દિવડીયે ઝગમગતા ‘મા’ નાં નોરતા રે…’
નવરાત્રીનું થઈ રહેલું આધુનિકરણ અને તેમાં આપણી સાવચેતી!

(મારો આ લેખ ઉ.ગુજરાત ના લોકપ્રિય દૈનિક અખબાર “રખેવાળ”માં તા.૧૨-૧૦-૯૯ ના રોજ પ્રકાશિત થઈ ચૂકયો છે. જેમાં મેં મારા હાલના નવા વિચારો ઉમેર્યા છે જે કૌંસમાં આપેલ છે.)

dandiya_raas_KF11_l
શાજિંદાઓ સાઝ તૈયાર કરવા લાગ્યા છે. ડેકોરેશનવાળા સિરીઝો અને લાઈટોને ચકાસવા લાગ્યા છે. ગાયકો ગળાને જરા ખંખેરી બાઝી ગયેલી ખરખરીને ખેરવી રહ્યાં છે. ગામની ગલીએ ગલીએ માંડવીઓ અને ચોક શણગારાઈ રહ્યાં છે.અને યુવાનીયા થનગની રહ્યાં છે.ત્યારે…લો, આ આવીને ઊભી રહી નવરાત્રી!!!…

Continue Reading »

શુભ – અશુભ! સાચું કોણ ? જયોતિષ કે આપણી માનસિકતા ?!

ગઈ તા.૦૯.૦૯.૦૯ ના રોજ નવ ના ત્રણ આંકડાઓ નો અને ૯ વાગે, ૯ મિનિટ અને ૯ સેકન્ડ એટલે છ વાર નવ નો સમન્વય, આ વાત પર આખો દિવસ અને રાતે ટીવી ન્યુઝ ચેનલો વાળા માટે સારો ટોપિક મળી ગયો અને મસાલો ભરીને આ સમાચાર બતાવ્યા રાખ્યા શુભ દિવસ-શુભ ઘડી, શુભ મુહર્ત !!

આ ટીવીઓ ની અંધશ્રાદ્ધા ફેલાવતી ભરમાળે આ યુનિક મેઝિક આંકડાઓનો ઝાદુ એવો છવાયો કે કેટલીયે સ્ત્રીઓએ સિઝેરિયન કરાવીને બાળકોને જન્મ આપ્યો. રાજકોટમાં જ ૪૦ બાળકો આ દિવસે જન્મ્યા તેમાં કેટલાંક માતા-પિતાએ એવો પણ આગ્રહ રાખ્યો કે ૯ વાગે, ૯ મિનિટ અને ૯ સેકન્ડે જ સિઝેરિયન કરીને પોતાના બાળકનો જન્મ કરાવો (લો, કર લો બાત !!) Continue Reading »

પ્રેરણા ની પરબ -ડૉ.મૌલિક શાહ

ડૉ.મૌલિક શાહ સાહેબ શ્રી મારા-તમારાથી અજાણ્યા નથી. તેઓ હાલમાં જામનગર માં એમપી શાહ મેડીકલ કોલેજમાં ના એશોશિયેટ પ્રોફેસર અને ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલ માં બાળકો ના દાકતર તરીકે સેવા આપે છે અને તેમના બ્લોગો દ્વારા આપણને સેવા આપે છે. તેમના દ્વારા એક પુસ્તક કે જે તેમના બ્લોગનું પણ નામ છે તે
‘માતૃત્વની કેડીએ’ ની પ્રથમ આવૃતિ બહાર પડતાં ની સાથે જ પ્રથમ ધડાકે ૨૦૦૦ પ્રત વેચાઈ ગઈ છે અને તેની હવે બીજી આવૃતિ પણ બહાર પડી ગઈ છે. આ પુસ્તકની રોયલ્ટી તેઓ ગરીબ બાળ દર્દીઓની સારવાર ના ખર્ચ અર્થે વાપરવાના છે તે જાણીને ખુબ જ આંનદ થયો. તેમનું આ કાર્ય અને પગલું સાહિત્ય અને સમાજ સેવા માં એક આવકારદાયક અને પ્રેરણાદાયી પ્રસંશનીય પગલું છે. તે માટે તમને જેટલા અભિનંદન આપીએ તેટલાં ઓછાં પડે…

દાકતરો નો વ્યવસાય સેવા નો વ્યવસાય છે, પરંતુ હાલમાં તો દાકતરો જે પોતે ખર્ચ કરીને ભણ્યાં હોય છે તે તેમની ફી દ્વારા ડબલ વસુલ કરતાં હોય છે અને ઓપરેશન ટેબલ પર ફી મૂકયા પછી જ કેસ હાથમાં લેતા હોય છે. ત્યારે આવા સમયે ડૉ.મૌલિક શાહ જેવા સેવાની સુવાસ ફેલાવતા દાકતરો ખુબ જ જૂજ-ઓછાં જોવા મળે. આપણને તેઓ તેમનાં બ્લોગ દ્વારા સરસ સમજણ આપતા અને સાથે ચિત્રો તથા વિડીયો કલીંપીંગ દ્વારા જે રીતે સમજણ આપવાની રજૂઆત છે તે લાજવાબ અને પ્રસંશનીય છે. તેઓ આપણે માટે પ્રેરણા ની પરબ છે…

મારા મિત્રો અને વાચકોને અનુરોધ છે કે આપ તમારા માટે અને તમારા સ્નેહી સ્વજનો માટે -તેમને પ્રસંગોપાત ભેટ આપવા માટે આ પુસ્તક જરૂરથી ખરીદીને આ નેક અને સારા સેવાકીય કાર્યમાં સહકાર આપો. તમારા ઓર્ડર આ પુસ્તકની જેટલી બહોળી સંખ્યામાં નોધાવા હોય તેટલાં નોધાવી ને ગરીબ બાળ દર્દીઓની સેવાની તમારી ફરજ પૂરી કરો.
વધુ માહિતી માટે આ લીંક ને કલિક કરોઃ ‘માતૃત્વની કેડીએ’

Continue Reading »

Older Posts »