હે હજાર હાથવાળા,
તે બે હાથવાળા સાથે હાથ મીલાવી દીધા કે શું ?!
-કેમકે,
તે આપેલું વચન “જયારે-જયારે ધર્મની ગ્લાનિ થશે
ત્યારે-ત્યારે અધર્મ ના નાશ માટે હું જન્મ ધારણ કરીશ… તે ભૂલ્યો કે શું ?
તું કયાં ગર્ભમાં છુપાયો છે ?
-કે પછી,
તારું વચન ‘જાડી ચામડી ‘ વાળાઓએ આપેલ વચનો ની જેમ ઠાલું વચન બનશે ?
કેમકે,
‘જાડી ચામડી’ વાળાઓની સાથે સાંઠગાંઠ રાખનારાઓ હંમેશા “જડ” બની જાય છે!!
-પ્રવિણ કે.શ્રીમાળી
(મારું આ કાવ્ય “હિન્દુ મિલન મંદિર ” માં જુન-૨૦૦૪ ના અંક માં છપાયેલ)
કાવ્યો