<strong>રાઈટ ટુ એજ્યુકેશન ના નિયમ મુજબ કોઈપણ ગરીબ બાળકોને માટે ૨૫% સીટો કોઈપણ સરકારી કે ખાનગી સ્કૂલોમાં અનામત રાખીને તેમને વિનામૂલ્યે પ્રવેશ આપવો, ગુજરાત સરકારે તથા શિક્ષણ બોર્ડે તે અંગેનો ઠરાવ તથા પરિપત્ર છેક ૨૦૧૨માં બહાર પાડવા છતાં કેટલીયે ખાનગી શાળાઓ તેનો અમલ જાણી જોઈને કરતી નથી અને આંખ આડા કાન કરતી રહે છે (તગડી ફી કોણ જતી કરે?!). જે ગરીબ છે તેમને આવા નિયમની જાણ નથી (કેમકે ઘણખરાં સામાન્ય માણસો કે જેઓ મજૂરી કરી ને ગુજરાન ચલાવતાં હોઈ તેમને તેમના બાળકોને ભણવા માટે તો માત્ર સરકારી શાળા એજ એકમાત્ર વિકલ્પ છે તેમ માનતા હોઈ છે અને અંગ્રેજી માદયમ એટલે મોંઘી ફી અને તે માત્ર તેમના બાળકો માટે સપનું) અથવા તેઓને જો જાણ હોઈ તોય સ્કૂલના વ્યવસ્થાપકો અસ્ટ્મ - પસ્ટમ સમજાવીને પાછા તગેડીદે. મેં ખુદ કયાંય સંભળ્યું નથી કે કોઈ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલે કોઈ ગરીબ વિધાર્થીને વિનામૂલ્યે પ્રવેશ આપ્યો હોઈ કે એવું કોઈ ઉદાહરણ કે દાખલો હોઈ. મેં ત્યાં સુધી સાંભળેલ છે કે નગરપાલિકા સંચાલિત સરકારી શાળામાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યાં પછી હાઈસ્કૂલમાં જયારે આ વિધાર્થીઓ પ્રવેશ માટે અરજી કરે તો તેમને ઝડપથી પ્રવેશ આપતાં નથી અને કોઈપણ બહાના હેઠળ તેને ટાળી દેવામાં આવે છે. એટલે સુધી કે આવી શાળાઓ જાતિ આધારિત ભેદભાવ રાખીને અને ગરીબ વિધાર્થીઓને પ્રવેશથી વંચિત રાખે છે અને વિધાર્થીઓના ફેમિલીનું આર્થિક બ્રેકગ્રાઉન્ડ જોઈને જ પ્રવેશ આપે છે. આ તો વૈપારીકરણની હદ થઈ ગઈ? અને ફી પણ મનઘડત, પોતાને જેમ ફાવે તેમ લેવામાં આવે છે, આ ફીનું સ્ટ્ર્કચર નક્કી કરતો એક સમાન ફી નો કાયદો ઘડવાની સરકારે તાતી જરૂર છે.
આ માટે આપણે શું કરી શકીએ ? આ સોચ ને લઈને જ બધા ચાલે છે….
પરંતુ આપણે વિધાદાન માટે આટલું તો જરૂરથી કરી શકીએ..
- આપણે જો ભણેલ ગણેલ સુશિક્ષિત હોઈએ તો આપણી કાબેલિયતને દાવ પર લગાવીને, થોડો સમય તેના માટે નીકાળીને તમારી આજુબાજુ જો કોઈ આવું બાળક કે વિધાર્થી નજરે પડે તો તેને મદદ કરો.
-
તેને સ્કૂલે લઈ જઈને પ્રવેશ અપાવવામાં મદદ કરો.
-
સ્કૂલનો ટ્ર્સ્ટી કે સંચાલક ન માને તો, તેના પાસેથી તમો પ્રથમ તે માહિતી મેળવો કે જે વર્ગમાં પ્રવેશ મેળવવાનો છે, તેમાં કેટલાં વિધાર્થીઓની મંજુરી શિક્ષણ ખાતામાંથી મળેલ છે. અને તે મુજબની સંખ્યા ભરાઈ ગયેલ છે કે ખાલી છે?…
આ પ્રકારનાં વધુ લેખો વાંચવાં માટે વાંચો “યુવારોજગાર” (વધુ…)