Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Articles’

Fake Letter for Interview, These are fraud and Fight Fraud initiative – વાંચો અને જુઓ કે નૌકરી માટે નામાંકિત મોટી કંપની નામે તમને કેવી રીતે આ ધૂતારાઓ છેતરે છે.

જુઓ તેના આ બે ઈન્ટરર્વ્યું કૉલ લેટર, કેવી રીતે નૌકરી આપવાના બહાને કેવી રીતે છેતરે છે તમને.

See following both letter are fraud and fake. Be alert & Fight Fraud initiative
Kindly share this information with your family and friends as well and help them protect their money.
(વધુ…)

Read Full Post »

(વધુ…)

Read Full Post »

        <strong>રાઈટ ટુ એજ્યુકેશન ના નિયમ મુજબ કોઈપણ ગરીબ બાળકોને માટે ૨૫% સીટો કોઈપણ સરકારી કે ખાનગી સ્કૂલોમાં અનામત રાખીને તેમને વિનામૂલ્યે પ્રવેશ આપવો, ગુજરાત સરકારે તથા શિક્ષણ બોર્ડે તે અંગેનો ઠરાવ તથા પરિપત્ર છેક ૨૦૧૨માં બહાર પાડવા છતાં કેટલીયે ખાનગી શાળાઓ તેનો અમલ જાણી જોઈને કરતી નથી અને આંખ આડા કાન કરતી રહે છે (તગડી ફી કોણ જતી કરે?!). જે ગરીબ છે તેમને આવા નિયમની જાણ નથી (કેમકે ઘણખરાં સામાન્ય માણસો કે જેઓ મજૂરી કરી ને ગુજરાન ચલાવતાં હોઈ તેમને તેમના બાળકોને ભણવા માટે તો માત્ર સરકારી શાળા એજ એકમાત્ર વિકલ્પ છે તેમ માનતા હોઈ છે અને અંગ્રેજી માદયમ એટલે મોંઘી ફી અને તે માત્ર તેમના બાળકો માટે સપનું) અથવા તેઓને જો જાણ હોઈ તોય સ્કૂલના વ્યવસ્થાપકો અસ્ટ્મ - પસ્ટમ સમજાવીને પાછા તગેડીદે.  મેં ખુદ કયાંય સંભળ્યું નથી કે કોઈ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલે કોઈ ગરીબ વિધાર્થીને વિનામૂલ્યે પ્રવેશ આપ્યો હોઈ કે એવું કોઈ ઉદાહરણ કે દાખલો હોઈ. મેં ત્યાં સુધી સાંભળેલ છે કે નગરપાલિકા સંચાલિત સરકારી શાળામાંથી પ્રાથમિક શિક્ષણ મેળવ્યાં પછી હાઈસ્કૂલમાં જયારે આ વિધાર્થીઓ પ્રવેશ માટે અરજી કરે તો તેમને ઝડપથી પ્રવેશ આપતાં નથી અને કોઈપણ બહાના હેઠળ તેને ટાળી દેવામાં આવે છે. એટલે સુધી કે આવી શાળાઓ જાતિ આધારિત ભેદભાવ રાખીને અને ગરીબ વિધાર્થીઓને પ્રવેશથી વંચિત રાખે છે અને વિધાર્થીઓના ફેમિલીનું આર્થિક બ્રેકગ્રાઉન્ડ જોઈને જ પ્રવેશ આપે છે. આ તો વૈપારીકરણની હદ થઈ ગઈ? અને ફી પણ મનઘડત, પોતાને જેમ ફાવે તેમ લેવામાં આવે છે, આ ફીનું સ્ટ્ર્કચર નક્કી કરતો એક સમાન ફી નો કાયદો ઘડવાની સરકારે તાતી જરૂર છે. 

આ માટે આપણે શું કરી શકીએ ? આ સોચ ને લઈને જ બધા ચાલે છે….

પરંતુ આપણે વિધાદાન માટે આટલું તો જરૂરથી કરી શકીએ..

  • આપણે જો ભણેલ ગણેલ સુશિક્ષિત હોઈએ તો આપણી કાબેલિયતને દાવ પર લગાવીને, થોડો સમય તેના માટે નીકાળીને તમારી આજુબાજુ જો કોઈ આવું બાળક કે વિધાર્થી નજરે પડે તો તેને મદદ કરો.
  • તેને સ્કૂલે લઈ જઈને પ્રવેશ અપાવવામાં મદદ કરો.

  • સ્કૂલનો ટ્ર્સ્ટી કે સંચાલક ન માને તો, તેના પાસેથી તમો પ્રથમ તે માહિતી મેળવો કે જે વર્ગમાં પ્રવેશ મેળવવાનો છે, તેમાં કેટલાં વિધાર્થીઓની મંજુરી શિક્ષણ ખાતામાંથી મળેલ છે. અને તે મુજબની સંખ્યા ભરાઈ ગયેલ છે કે ખાલી છે?…

    આ પ્રકારનાં વધુ લેખો વાંચવાં માટે વાંચો “યુવારોજગાર” (વધુ…)

Read Full Post »

વૉન્ટેડ ઓલરાઉન્ડર એમ્પલોઈઝ મોંઘવારીએ માઝા મુકી છે, તેમાં ઓછું હોઈ તેમ હવે વરસાદે પણ માઝા મુકી છે. સામાન્ય પ્રજાનો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, અને તેમાં નૌકરી શોધતાં બેરોજગારોની મુશ્કેલીઓએ પણ માઝા મુકી છે. અત્યારે દરેક કંપની ને તૈયાર માણસો, સ્કીલ્ડથી ને આત્માવિશ્વાસથી ભરપુર ઉમેદવારો જોઈએ છે અને આપણી શિક્ષણ પધ્ધતિ આજે પણ માત્ર ને માત્ર પુસ્તક લક્ષી અભયાસની છે. પ્રેકટીકલ બનાવે અને સીધું કંપનીનું કામ-કાજ સંભાળે તેવું શિક્ષણ શિખવતી કેટલી શાળા-કોલેજો? માત્ર ડિગ્રીને આધારે મળતી નૌકરીઓના જમાના હવે ગયા. કોઈક જ કંપની કે સંસ્થાઓ રિક્રુન્ટ્મેન્ટમાં ફ્રેસરને માટે ચાન્સ આપે છે. આજકાલ દરેક જોબની એડમાં experience be must, Also apply freshers…લખેલું હોઈ પરંતુ આપણે જાણીએ છીએ કે તેમાં પણ પસંદગીતો અનુભવીની જ થવાની. જયાં તમે તેને એક તક જ નહીં આપો ત્યાં તે બિચારાનો અનુભવ નીલ જ રહેવાનો. આજનાં આ સ્પર્ધાત્મક યુગમાં નૌકરી મળ્યાં પછી પણ તેને ટકાવી રાખવી તે પણ એક માસ્ટર ડીગ્રીથી કમ વાત નથી. આજે દરેક ક્ષેત્રે ઑલરાઉન્ડરની ખપત છે. માટે નૌકરી મળ્યાં પછી પણ તેને ટકાવી રાખવા માટે સતત નવી ટેકનોલૉજી અને નવી કામ કરવાની દરેક ERP કે તમારી આવડતમાં સ્કીલ્ડનો સતત વધારો કે ઉપડેટ્શન કરતાં રહેવો પડે. કંપનીમાં કોઈ – કોઈને શિખવતું નથી. જાતે તૈયાર થવું પડે, અને તમને એક વિભાગમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં નાંખે તો તેના પણ માશ્ટર હોવ તે રીતે કામ કરવું પડે. નૌકરીના ક્ષેત્રમાં જે વ્યકિત MBA કર્યા વગર પણ ‘મને બધું જ આવડે’ ના મંત્રમાં પારંગત છે, તેને પ્રમૉશન, ઈન્ક્રીમેન્ટ અને સન્માન આ બધું જ મળે છે. બાકી…ઠેરના ઠેર!! આ લેખને વધુ વાંચવા “યુવારોજગાર” ઈ-પેપર જુઓ. ઈ-પેપર ડાઉનાલોડ કરવાં અહીં કલિક કરો….. Yuvarojagar-Edition-1-Aug-2014(1)

Read Full Post »

hindu-marriage

 

મિત્રો, લગ્નની સિઝન પુર બહાર ખીલી છે, અને તમે લોકો પણ તમારા સગાં – સબંધી કે ખુદના લગ્નમાં વ્યસ્ત હશો ત્યારે સમાજના એક સદસ્ય હોવાનાં ભાગ રૂપે કંઈક થોડું ઘણું આપણાં તરફથી યોગદાન દઈએ….અને મને વિશ્વાસ છે કે આટલુ તો તમે ચૌક્ક્સપણે કરી જ શકો…અને બીજા માટે પણ પ્રેરણદાયી બની શકો છો.

 

   – હમણાં જ અખબારમાં વાચ્યું કે ૧૩૬ વરઘોડીયાએ સ્વેચ્છાએ વરઘોડો કાઢવાનું મોકુફ રાખ્યું, આ મારા યુવા મિત્રોને સૌ પ્રથમ તો મારા સો- સો સલામ તેમને…. આવા ક્રાંતીકારી નિર્ણયો તો આજની યુવા પેઢી જ લઈ શકે છે, તેમાં કોઈ શક નથી, કેમકે વર્ષોથી રૂઢિ અને રિવાજના નામે ખોટાં ખર્ચા અને દેવા કરીને પણ ખાલી બીજાને બતાવી દેવાની હોડમાં આ પૈસાનુ પાણી કરતા રિવાજો બંધ કરવા જ જોઈએ અને તેના માટે પહેલ પણ કરવી પડે….આ રૂઢિઓને તોડવાની પહેલ કરનાર જ ખરેખર સાચો યુવા છે. તેના આ એક નિર્ણયથી પૈસો, (ફટાકડાં કે દારૂખાનું ફોડવાથી થતાં) આવાજનું પ્રદૂષણ, સમયનો બગાડ અને ટ્રાફિક જામની સર્જાતી હાડમારીથી બચાવી લીધા તો સો – સો સલામના હકદાર તો ખરા જ ને?!! તમે પણ ધારો તો આ કરી શકો છો. અને તેથી તમે અમને અને સમાજને ખરેખર ઉપયોગી બનશો. – લગ્નમાં થતા દેખા-દેખીનાં ખર્ચાઓથી દૂર રહો, અને ઘરમાં પણ અન્ય સભ્યોને સમજાવો અને સાદગીથી લગ્ન કરો. – સમુહલગ્નના હિમાયતી બનો અને સમુહલગ્નનું આયોજન કરો, તેનાથી સમય અને પૈસાનો બચાવ થાય જ છે, સાથે સાથે સમાનતા જળવાય છે અને તમારા સગાં સંબંધીઓને અલગ અલગ લગ્નમાં અલગ અલગ તારીખે ધંધા-નૌકરી ની રજા લેવી પડતી નથી કે નથી અલગ અલગ જગ્યાએ હાજરી આપવી પડતી. એકજ તારીખે, એક જ રજામાં, એક જ જગ્યાએ તે વ્યકિતી પોતાના બધા સંબંધીના લગ્ન એટેન્ડ કરી શકે છે, હાજરી આપી શકે છે. અને સૌથી અગત્યની વાત એ છે કે ગરીબ હોય કે અમીર, એક સમાન ખર્ચામાં એક જ મંડપ નીચે પરણી શકે છે. સમાજમાં એકતા વધે છે. – જમણવારમાં જમવાનો બગાડ કરશો નહીં અને જમવાનું વધે તેને નાંખી દેવાને બદલે ગરીબ અને જરૂરિયાત લોકોને આપો. કોઈકના મોં સુધી અન્નનો કોળિયો પહોંચે તેવું કરો..ઘણી સંસ્થાઓ આવું વદ્દ્યું ધટ્યું અન્ન લગ્ન સમારંભોમાંથી એઅકઠું કરીને ઝુંપડપટ્ટી જેવા વિસ્તારો માં પહોંચાડવાનું કાર્ય કરે છે તમે પણ તેમ કરી શકો છો. – કન્યા પક્ષ તરફથી મળતી ભેટ સોંગાદોથી દુર રહો. આ એક દહેજ જ છે…. એક યુવાના નાતે તમે આટલું તો કરી શકો જ છો…વૉટીંગ કરવામાં તમે રંગ રાખ્યો જ છે, આમાં પણ રાખશો…કુર્યાતે સદા મંગલમ…અસ્તુ.

તમારો આત્મા કહે છે કે તમારા કુંટુબ અને સમાજ માટે કંઈક કરવું જોઈએ તો, કરો કલિક અને વાંચો આ બે લેખો ;- https://pravinshrimali.wordpress.com/2009/04/07/જાગો-યુવા-જાગો-પગથિયું-૧

https://pravinshrimali.wordpress.com/2009/04/29/જાગો-યુવા-જાગો-પગથિયું-2

Read Full Post »

77148_205684192961152_1091394658_a1511169_473724556066336_1340112967_n

My Dear All Indian,

Follow following message at Republic day,

Freedom in mind, Faith in words, Pride in our heart, Memories in our souls.      Let’s Salute the Nation on REPUBLIC DAY.

મારા વ્હાલા મિત્રો,

આ ૬૫માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌ ને એજ કહેવાનું કે તમારા જીવનના સૌના રોજિંદા કામમાંથી માત્ર ને માત્ર પાંચ મિનિટ પણ જો તમે દેશ માટે, તમારા સમાજ માટે, સામાજિક કાર્ય હેતુથી વાપરો તો તે જ છે આપણાં શહિદો અને સ્વાતંત્ર્યસૈનાનીઓ ની સાચી અંજલિ, તે આપણને સ્વતંત્રત્તાનો દરરજો આપી ગયા છે, તેના મૂલ્યોની અને વારસાની જાળવણી માટે તમારી અમૂલ્ય પાંચ મિનિટ આ દેશની પ્રગતિ અને વિકાસ માટેનું યોગદાન હશે. અને આ દેશની તાસીર અને તસ્વીર બદલવા માટે એક અબજ ઉપરની વસ્તી ધરાવતા હિન્દુસ્તાન માટે કાફી છે.

પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌ ને દિલથી ખુબ ખુબ શુભેચ્છા… વન્દેમાતરમ …. જયહિન્દ…..

Read Full Post »

defaultसत्ता हांसिल करने के बाद “आम अदमी हुं” लोगोवाली टोपी उतर गई

अभी – अभी दिल्ही के शासन पर आनेवाली आम आदमी पार्टीने बडे बडे वादे और बडे बडे दर्शन आम प्रजाको बताये, पार्टि अदयक्ष अरविंद केजरीवाल दिल्ही तख्त पर बिराजमान होने वालेथी उसी दिन बहुतही आम बनके प्रदर्शन कीया, आम अदमी की तरह शपथ ग्रहण करने मेट्रो रेल और बस में आये,सरकार में आने से पहेले जो लोग सरकारी गाडीया या सरकारी मकान का उपयोग नहीं करने का एलान करते थे,  आज वोही लोग टोयटो जैसी सरकारी गाडीओ और आलीशान सरकारी बंगलो या फलेटमें रहेना चाहते है…7/6 और 7/7, भगवान दास रोड, नई दिल्ली। ईस भवन में रहेना चाहते है, केजरीवाल। ईसमे एक फलेट में वॉ और दूसरामें “आप”का उनका कैंप कार्यालय होगा। समाचार जंगल में आग की तरह फैला। लोगों को लगता था कि केजरीवाल साधारण ‘क्वार्टर’ में रहेंगे, दिल्ली के आम आदमी की तरह। पर यह तो आलीशान फ्लैट था! लाखों रुपये महीने के किराये वाला। बेचने चलो, तो करोड़ों मिल जाएं। कीमत और रहन-सहन के हिसाब से आम आदमी के सपनों से भी कोसों दूर है,कई सवाल अनुत्तरित रह गए।. अभी सुना है के “में आम अदमी हुं” लोगोवाली टोपी उतारने का आदेशहो गया, अब देखते है के आम आदमी के नाम पे कया कया उतरता हैतो कया हुआ तेरा वादा…वॉ कसम…वॉ ईरादे…कया हुआ?!!हाथी के दांत दिखाने के और चबाने के अलग अलग होते है वॉ कहावत शायद “आप” अभीसे सार्थक कर रहा है – तो सोच लो पांच साल में कया होगा!!!?? नाम बडे दर्शन छोटे?? और कया?…

 

Read Full Post »

         ભાગ-૨ ; મોબાઈલ,સોશિયલ નેટ અને મિડીયા ની ક્રાંતિ – ઉત્ત્ક્રાંતિ ની શું ૨૦૧૪ની ચૂંટણી પર પડશે અસર?                        

   Mobile Mobile1

આ લખાય રહ્યું છે ત્યારે ઈ.સ. ૨૦૧૪ના નવા વર્ષના આગમનની ઘડીઓ ગણાય રહી છે અને ભારતમાં પણ દિલ્હીના રાજયના તખ્ત પર એક નવી જ પા પા પગલી ભરતી પાર્ટી ઉભરીને આવી અને તેના તખ્ત પર આમ આદમી પહેલી વાર બિરાજમાન થાય તે ૨૦૧૪ની નવી દિલ્હીના શાસન સમયમાં ક્રાંતિકારી પગલાંનું આગમન જ કહેવાય. તો હવે પછીની ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં પણ કંઈક ક્રાંતિકારી બદલાવ આવે તો કંઈ નવાઈ નહીં. અને તેમાં આજની જે નવી આધુનિક ટેકનોલોજી છે, તેનો પ્રચાર અને પ્રસાર કરવામાં ખુબ જ અગત્યનો ભાગ ભજવશે – તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેમાં પણ સોશિયલ નેટવર્ક તો લાગે છે કે કમાલ કરશે.

                           સોશિયલ મિડીયામાં રહેવા માટે આજકાલ અંગુઠા છાપ નેતા પણ facebook પર એકાઉન્ટ ધરાવતા થઈ ગયા છે, એટલું જ નહીં પરંતુ  પોતાના પેજ અને વેબ આકર્ષક બનાવવા માટે સ્પેશ્યલ વેબ ડિઝાઈનર કે સોફટેવેર નિષ્ણાંતની ભરતી કરીને પોતાને ત્યાં નૌકરીએ રાખતાં થયા છે, અરે ભાઈ ભાષણની સ્ક્રીપ્ટ તૈયાર કરવા માટે સ્પેશ્યલ પીએ કે સેક્રેટરી જોઈએ તો પોતાના વેબ પેઈઝ કે સાઈટ ડેવલોપ કરવા સૉફ્ટવેર ઈન્જીનીયરતો રખનાં બનતાં હૈ!!

                    હવે તેમાં ટચ સ્ક્રીન અને સ્માર્ટ મોબાઈલ અને આઈ ફોન તથા ટેબલેટે સોશિયલ નેટને હાથવગું બનાવતા, ઓફિસ, ઘર કે સમારોહમાં પણ તમે સદા ઓનલાઈન રહીને સોશિયલ નેટના મિત્રો અને નવા-નવા અપડેટ માણતા રહો છો, ઈવન મુશાફરી દરમિયાન તો સૌથી વધુ ઉપયોગ તેનો જ થાય ત્યારે સામાન્ય વાત છે કે Mobile appએ  2014 Electionમાં મહત્ત્વનો ભાગ ભજવશે.

Read Full Post »

        મોબાઈલ,સોશિયલ નેટ અને મિડીયા ની ક્રાંતિ – ઉત્ત્ક્રાંતિ ની શું ૨૦૧૪ની ચૂંટણી પર પડશે અસર?

સૌ પ્રથમ તો મોબાઈલની વાત કરીએ તો ભારતમાં ફોન કોમિયુનિશેન માં જો કોઈ કંપની પરિવર્તન લાવી ને ક્રાંતિ સર્જી હોય તો તેનો શ્રેય રિલાયન્સને આપી શકાય. રિલાયન્સએ “કર લો દુનિયા મુઠીમેં ” ના પ્લાન દ્વારા ખરેખર મોબાઈલ ક્ષેત્રે ક્રાંતિ લાવી દીધી. સૌ પ્રથમ વાર મોબાઈલ હેન્ડસેટ(નાનક્ડા સફેદ હેન્ડસેટ, તેમાં સૌ પ્રથમવાર સોશિયલ નેટ સાથેની ‘R’ worldની સુવિધા હતી) સાથે સસ્તા દરે અને ઈનકમિંગ કૉલ મફતના પોતાનો પોસ્ટપેઈડ ટૉકીંગ પ્લાન વેચીને આખા ભારતમાં, સામાન્ય લોકોને પણ હાથમાં મોબાઈલ થમાવી દીધા…અને તેમાં તે સફળ પણ રહ્યાં (પાછળથી ઘણાં લોકોએ ત્રણ ત્રણ મહિના સુધી વાપર્યા અને ત્રણ મહિનાનું બિલ ભેગું થતા…બિલ ભરવામાં ગલ્લાં-તલ્લાં કર્યાં!…અને કેટલાંકના તો કંઈક અંશે બિલ પણ માફ કર્યા…) ત્યાર બાદ અન્ય કંપનીઓ તેની સ્પર્ધાની હોડમાં ઊતરી, અને ત્યાર પછી મોબાઈલ હેન્ડસેટ અને આઉટગૉઈન્ગ કૉલ સસ્તા અને ઈનકમિંગ મફત થયાં….આ છે કોમ્યુંનિકેશન્સ ક્ષેત્રની ક્રાંતિ.

             પ્રિન્ટ મિડીયાની વાત કરીએ તો દૈનિક “જાગરણ” એ ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનું સૌથી વિશાળ વાચકવર્ગ ધરાવતું અખબાર છે. અને તે આપણાં માટે ગૌરવની વાત છે. પરંતુ અનેક રાજયોમાં વાચકોના રસ, વૈવિદ્દ્ય વિષય અને રૂચિઓનો સર્વે કરીને, વાચકોની મરજી મુજબનું વાંચનનો અઠવાડિયાના આઠે દિવસે વૈવિદ્દયસભર રંગીન પુર્તિઓમાં રસથાળ આપીને તથા બ્લેક એન્ડ વ્હાઈટ અખબારની કિંમત કરતાં સસ્તું અને રંગીન અખબાર- હિન્દીમાં “દૈનિક ભાસ્કર” અને ગુજરાતીમાં “દિવ્ય ભાસ્કર” એ આપીને પ્રિન્ટ મિડીયામાં ક્રાંતિની પહેલ કરી. અને એટલું જ નહીં,પરંતુ મોબાઈલમાં ઈ-પેપરના Apps વર્ઝન આપીને અખબારને મોબાઈલ પર વંચાતુ કરી દીધું. હાલમાં તો દરેક અખબાર પોતાના ઈ-પેપર અને વેબ વર્ઝન તૈયાર કરે છે, તેમાં “ગુજરાત સમાચાર” અપવાદ છે (કેમકે તેનું ઈ-પેપર માત્ર વિદેશમાં રહેતા ગુજરાતીઓ માટેનું અલગ છે..તેમાં અમદાવાદ કે ગુજરાતની કોઈ જીલ્લાની આવ્રત્તિ ઈ-પેપરમાં નથી. તે ઈચ્છે છે કે લોકો તેને કાગળ પર જ વાંચે) પરંતુ એકવાત છે કે “દિવ્ય ભાસ્કર”ના પગલે આપણને સસ્તા દરે રંગીન અખબાર અને વાચનના વૈવિદ્દ્યથી ભરપુર સાતે દિવસ પુર્તિઓનો ખજાનો દરેક અખબાર પાસેથી મળવો શરૂ થયો…આભાર “ભાસ્કર ગ્ર્પ”ને….
             ઈલેકટ્રોનિક મિડીયાની વાત કરીએ તો પહેલાં આપણે માટે તાજાસમાચાર અને ક્રિકેટની લાઈવ કૉમેન્ટરી સાંભળવા માટે એક જ હાથવગું સાધન- અને તે રેડીયો!!..અને બીજુ જોવા માટે આપણું દૂરદર્શન!!! પરંતુ વિદેશી બહારની ચેનલો ના દેખા દેખી ઍન્ટીનાઓ ગયા અને કેબલ નેટવર્ક દાખલ થયું અને જામી ખાનગી ચેનલોની સ્પર્ધા…સરવાળે લાભ દર્શકોનો…તેમાં સમાચાર ક્ષેત્રે “આજતક” અને “ઝી ન્યુઝ” ૨૪કલાકની સમાચાર સેવા ચાલુ કરી…અને પછી તે ક્રાંતિ જ નહીં ઉત્ત્ક્રાંતિ કહો…સમાચાર ચેનલો ની લાઈન લાગી ગઈ!!!….ખાનગી ચેનલોમાં ન્યુઝ સિવાય, સિરીયલોએ પ્રાઈમ ટાઈમ રાત્રે ૯.૦૦વાગ્યા પછીનું સ્થાન ઘરોમાં જમાવી દીધું, અને પછી રિયાલીટી શોએ જમાવટ કરી દીધી. ટીવીના કહેવાતા ઈડીયટબોક્ષના આ રિયાલીટી શોએ એવી જમાવટ કરી કે ટેલીવુડના એન્કરો સ્ટાર બની ગયા અને બોલીવુડના સ્ટારોએ તેમનો સહારો પોતાની ફિલ્મો ને થિયટરોમાં પ્રદર્શિત કરતાં પહેલાં પ્રોમો અને પ્રસિદ્ધી માટે સહારો લેવો પડે છે. તો આપણે આજે કાન પકડીને કહેવું પડે કે નેતા હોય કે અભિનેતા, પ્રસિદ્ધી માટે આ ઈડિયટબોક્ષનો જ સહારો આજકાલ લેવો જ પડે….એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો ટીવી એક ક્રાંતિ આણવા માટેનું ખુબજ સબળ માદયમ અને સાધન છે.

                                     પરંતુ ઈલેકટ્રૉનિકસ માદયમની ક્રાંતિ આટલેથી અટકતી નથી, આ ટીવીને અને મિડીયાને દરેકની મુઠીમાં કરવાનું સ્થાન ટચ સ્ક્રીન મોબાઈલે અને app aplicationએ કર્યું. મોબાઈલ હોય અને ઈન્ટરનેટ કનેકટ ન હોય તેવા હેન્ડસેટ કયાંક જ જોવા મળે. ઈ-મેલ સેવા સામાન્ય થઈ ગઈ છે. તેમાં હાલ પણ બે વેબ કંપનીઓનો ઇમેલ અને સર્ચ સેવામાં એકો ચાલુ જ છે., તે છે -google અને yahoo. તેમાં પણ google એ orcut જેવી સોશિયલ નેટવર્ક ચાલુ કરી અને સૌથી વધુ વપરાતી સોશિયલ સેવા ગણાતી આ સેવા નો ખુબ જ પુરજોરમાં વપરાશ કર્તાઓનો કાફલો વધતો ગયો, અને ખુબ જ પ્રસિદધ થઈ, તેના સામે facebook એ અને twitterએ તો પર્દાપણ કરીને તો સોશિયલ નેટવર્કની તાશીર જ બદલી નાંખી. આજે અભણ વ્યકિતીના મોબાઈલ હેન્ડસેટમાં અને જીભ પર પણ facebook નું નામ સહજ રીતે રમતું થઈ ગયું છે. આજે facebook સિવાય ઘણી સોશિયલ સાઈટો ઠેરઠેર બિલાડીના ટોપની જેમ ફૂટી નિકળી, પરંતુ સૌથી પ્રખ્યાત જો કોઈ સોશિયલ નેટવર્ક સાઈટો હોય તો આ બે જ સાઈટો હાલમાં લલનટોપ છે. બાકી સોશિયલ નેટવર્કમાં બ્લોગોએ તો ક્રાંતિ કરી દિધી. ફ્રી બ્લોગ બનાવવો તે સામાન્ય થઈ ગયું  છ (તેમાં wordpress અને Google ફ્રી બ્લોગ બનાવવા માટેનું મુખ્ય પ્લેટફ્રોમ પુરૂ પાડે છે.), પરંતુ વૈચારીક અને સામાજિક ઉત્થાન લાવે તેવા બ્લોગોએ ક્રાંતિ લાવી દીધી….આજકાલ નેતા હોય કે અભિનેતા, બ્લોગ જરૂર લખે છે. બીજી ઘણી સાઈટો અને બ્લોગો લખાતાં હોય, પરંતુ આખર દરેકને પોતાની પ્રસિદધીની લિંકતો facebook અને twitter એકાઉન્ટની જ આપવી પડે છે. નવાઈની વાત તો એ છે કે, અન્ય LinkedIn, Google plus, StumbleUpon, Reddit કે Digg હોય આખર આ બધામાં પણ લિંકતો facebook અને twitter એકાઉન્ટની જ આપવી પડે છે. 

                                                                                                                                (ક્રમશઃ…બીજા ભાગમાં ચર્ચા ચાલુ રહેશે.)

 

   

Read Full Post »

ન્યુઝ ચેનલો માટે મહત્ત્વના રાષ્ટ્રીય સમાચાર – પ્રજાનો સમય બરબાદ કરવાનો!!

પ્રજા સારી રીતે જાણે છે કે આજકાલ ન્યુઝ ચેનલો જે ચાલે છે તે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ના લીધે, તેમના બ્રેકીંગ ન્યુઝ ના લીધે ચાલે છે. ન્.મો શું ખાય છે, પીવે છે, શું બોલે છે, શું પહેરે ઓઢે છે, કંઈ જગ્યા મીટીગ છે…વિગેરે વિગેરે.
               ગરીબી, સામાજિક કુરુઢિઓ, બેકારી- બેરોજગારી, બાળમજુરી, સ્ત્રી શોષણ – અત્યાચાર, પસ્ચિમ બંગાળ અન આસામના દંગા ફંસાદ, નીચું શિક્ષણ, કોંગ્રેસ સરકાર ના કરોડો રુપિયાના ભ્રાષ્ટાચાર ના કૌંભાડી ઘોંટાળા વિગેરે ન્યુઝ ચેનલો વાળા માટે કોઈ રાષ્ટ્રીય સમસ્યા કહી શકાય તેવા સમાચાર તેમન મત્તે છે જ નહી…
              તેમના મત્તે-રાષ્ટ્રીય સમાચાર એટલે …અમેરિકા એ ન્.મો ને વિઝા ન આપ્યા તે રાષ્ટ્રીય સમસ્યા, સલમાન અને શાહરુખના અબોલાં ઈફ્તાર પાર્ટી વખતે તૂટયાં તે તેમનાં માટે રાષ્ટ્રીય સમસ્યા અને બ્રિકિંગ ન્યુઝ!!
             સમચાર એવા છે કે કોંગ્રેસી કેટલાંક સાંસદોએ ઓબામાને પત્ર લખ્યો છે કે મોદીને વિઝાના આપતાં (બસ કોંગ્રેસીઓ માટેઆ જ કામ છે, કેમકે તેઓ પ્રજાના કામમાં તેમને રસ નથી તેટલો રસ મોદીની દિનચર્યામાં છે, કેમક પ્રજા માટે- તેમની સમસ્યા માટે અથવા પાકિસ્તાન ના સરહદી અવંળચંડાઈ વિશે તેઓએ કદી ઓબામાને આવો પત્ર લખ્યો નથી અને લો નરેન્દ્ર મોદી ને વિઝા ન મળે તે હેતુથી પત્ર….) અરે, ન્.મો ને કયાં અમેરિકા જવાની જરુર છે, તે ભારતનું એવું નિર્માણ કરશે કે અમેરિકાના લોકોને ભારત આવવાં માટેના વિઝા માટેની પડાપડી કરવી પડે તેવી ક્ષમતા આ “આર્યનમેન”માં રહેલી છે તે એક પક્ષના નેતામાં નથી…

આજકાલ ન્યુઝચેનલના રિપોર્ટરઓ પાસે માત્ર નીચેના સમાચારો જ તેમના સોર્શમાં છે…

૧. તેમના મત્તે-રાષ્ટ્રીય સમાચાર એટલે …અમેરિકા એ ન્.મો ને વિઝા ન આપ્યા તે રાષ્ટ્રીય સમસ્યા (તેનો જવાબ તમે વાંચી ચુક્યાં છો)
૨. ૨૦૦૨માં થયેલ ગોધરાકાંડ( ગુજરાતમાં જ ૧૯૬૯માં કોંગ્રેસ વખતે થયેલ દંગા ફસાદ નું નામ ભુલે ચુકે પણ આ ટીવી ન્યુઝવાળાં કેમ લેતાં નથી?)
૩. ઈશરત જહાં એન્કઊન્ટર
૪. હિમાલય પર થતી ગ્લોબલ વૉર્મીંગ ની અસર.તેના થી પીગળતો બરફ અને દુનિયાનો નાશ
૫. ધોની અને તેનીક્રિકેટ ટીમ

                      આ ચાર પાંચ મુદાઓ સિવાય કોઈ સમાચાર આ ટીવી ન્યુઝચેનલ પાસે નથી.અને આવા ન્યુઝ જે કોઈ દેખે છે, તે તેમનો કિંમતી સમય વેડફે છે,બીજુ કંઈ નહીં….

Read Full Post »

Older Posts »